પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં બે જનસભાને સંબોધિત કરશે
Live TV
-
. પ્રધાનમંત્રીની પ્રથમ રેલી અલીગઢમાં થશે અને ત્યારબાદ મુરાદાબાદમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. 24 માર્ચથી મેરઠમાં ચૂંટણી સભામાં કરેલ શંખનાથ બાદ પી.એમ. મોદીનો આ ઉત્તરપ્રદેશમાં સભા સંબોધનનો ત્રીજો તબક્કો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં બે જનસભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીની પ્રથમ રેલી અલીગઢમાં થશે અને ત્યારબાદ મુરાદાબાદમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. 24 માર્ચથી મેરઠમાં ચૂંટણી સભામાં કરેલ શંખનાથ બાદ પી.એમ. મોદીનો આ ઉત્તરપ્રદેશમાં સભા સંબોધનનો ત્રીજો તબક્કો છે. મુરાદાબાદથી આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે સર્વેસ્વર કુમાર મેદાનમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગ્લુરૂમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પૂર્ણ બહુમત વાળી સરકારને કારણે જ દેશનો વિકાસ શક્ય બન્યો છે તેમજ અશક્ય બાબતોને પણ શક્ય બનાવાઈ છે. કોંગ્રેસે, ભારતની સ્પેસમાં સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યો છે. તેમજ કોંગ્રેસ સૈન્યનું મનોબળ તોડવાનું કામ કરે છે.
