પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે જશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પરિયોજના પ્રમાણે રાષ્ટ્રીય સહકારી સંઘ તરફથી રાજ્યને મળનારી સહાયતા પેટે, 100 કરોડ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે જશે. જ્યાં તે રાજ્યને ઘણી વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે. પીએમ એકીકૃત સહકારી વિકાસ પરિયોજનાની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પરિયોજના પ્રમાણે રાષ્ટ્રીય સહકારી સંઘ તરફથી રાજ્યને મળનારી સહાયતા પેટે, 100 કરોડ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને આપશે. સાથે દિન દયાળ ઉપાધ્યાય કિસાન કલ્યાણ યોજનાના ખાસ લાભાર્થીઓને લોનના ચેક આપવામાં આવશે. આ સિવાય પ્રધાનમંત્રી મોદી રુદ્રપુરમાં એક રેલીને પણ સંબોધિત કરશે.
