પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવા મુક્તિ દિવસ સમારોહમાં રહેશે ઉપસ્થિત
Live TV
-
ગોવા મુક્તિ દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવાની યાત્રાએ છે. ગોવા માટે પ્રધાનમંત્રી 650 કરોડથી વધુ રકમની વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગોવા મેડિકલ કોલેજમાં બનેલા સુપર સ્પેશિયાલીટી બ્લોક અને ન્યુ સાઉથ ગોવા જિલ્લાનું ઉદ્ધાટન પણ કરશે. પ્રધાનમંત્રી ગોવાની યાત્રાએ ઓપરેશન વિજયનાં સ્વતંત્રતા સૈનાનીઓ અને વરિષ્ઠ યોદ્ધાઓને સન્માનિત કરશે. તેઓ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં બપોર પછી 3 વાગે ગોવા મુક્તિ દિવસનાં સમારોહમાં સામેલ થશે. પ્રધાનમંત્રી પુન: વિકસીત અગુઆડા કિલ્લા જેલ સંગ્રહાલયનું પણ ઉદ્ધાટન કરશે.
