પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના અને મહારાષ્ટ્રના પ્રવાસે
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી બસ્તરના છોટે અમાબાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં છત્તીસગઢની બસ્તર લોકસભા સીટ પર 19 એપ્રિલે મતદાન થવાનું છે. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
જયારે તમિલનાડુમાં રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશ તેમજ રાજસ્થાનમાં જે.પી.નડ્ડા પ્રચાર કરશે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવશે.