પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે
Live TV
-
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ રાજસ્થાનના ચિતોડગઢ, પ્રતાપગઢ અને સવાઈ માધવપુરમાં ચૂંટણી સભા કરશે. વરિષ્ઠ ભાજપા નેતા રાજનાથસિંહ પણ આજે રાજસમંદ, દુર્ગાપુર અને ઝાલાવાડમાં ચૂંટણી રેલી કરશે.
તેલંગાણા અને રાજસ્થાનમાં શુક્રવારે થનાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે. બધા જ પક્ષોના નેતાઓ મતદાતાને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ રાજસ્થાનના ચિતોડગઢ, પ્રતાપગઢ અને સવાઈ માધવપુરમાં ચૂંટણી સભા કરશે. વરિષ્ઠ ભાજપા નેતા રાજનાથસિંહ પણ આજે રાજસમંદ, દુર્ગાપુર અને ઝાલાવાડમાં ચૂંટણી રેલી કરશે. તેમજ બીજેપીના નેતા નીતિન ગડકરી અને સ્મૃતિ ઈરાની પણ રાજ્યમાં કેટલીક સભાઓને સંબોધિત કરશે.
