સ્થાયી નિવાસી પ્રમાણ પત્ર આપવા સંબંધિત અધિનિયમમાં કોઈ સુધારાનો પ્રસ્તાવ નથી: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ
Live TV
-
રાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર રાજ્યના કાયદેસર નિવાસીઓએ કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર સ્થાયી નિવાસી પ્રમાણપત્ર આપવા વિશે લોકોના અભિપ્રાયો માંગી રહી છે.
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું છે કે, રાજ્યમાં સ્થાયી નિવાસી પ્રમાણ પત્ર આપવા સંબંધિત અધિનિયમમાં કોઈ સુધારાનો પ્રસ્તાવ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વ્યવસ્થા જમ્મુ-કાશ્મીરની કાયદાકીય પ્રણાલીનો અભિન્ન અંગ છે અને કાયદાની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડનો ઈરાદો નથી. રાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર રાજ્યના કાયદેસર નિવાસીઓએ કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર સ્થાયી નિવાસી પ્રમાણપત્ર આપવા વિશે લોકોના અભિપ્રાયો માંગી રહી છે. શ્રી મલિકે વધુમાં ઉમેર્યું હતું કે, આ એક સામાન્ય પ્રશાસનિક મામલો છે અને આ વિશે કોઈ ગેરસમજણ હોવી જોઈએ નહીં.
