પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લેશે આસામની મુલાકાત; એક લાખથી વધુ લોકોને જમીનનું કરશે વિતરણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાત કરશે. શિવસાગર જિલ્લામાં જમીન વગરના એક લાખથી પણ વધારે ખેડૂતોને જમીન આપવામાં આવશે. શિવસાગરના જોરાંગ પાથરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આસામમાં 5 લાખ 75 હજાર ભૂમિહીન પરિવાર છે તેને ધ્યાનમાં રાખીને આસામની સરકાર નવી ભૂમી નીતી લઇને આવી છે. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર લોકોને જમીનનું આવન્ટન કરવામાં આવ્યું છે.
