પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાની રાજધાની કોલંબોની મુલાકાત લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા પહેલા વિદેશી નેતા છે કે જે શ્રીલંકામાં થયેલા ઇસ્ટરના હુમલા બાદ પ્રથમ વખત શ્રીલંકા પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રામાં આતંકવાદ એક મહત્વનો મુદ્દો બની રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાની રાજધાની કોલંબોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા પહેલા વિદેશી નેતા છે કે જે શ્રીલંકામાં થયેલા ઇસ્ટરના હુમલા બાદ પ્રથમ વખત શ્રીલંકા પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રામાં આતંકવાદ એક મહત્વનો મુદ્દો બની રહેશે. ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલે શ્રીલંકામાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવશે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના અને પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘેની સાથે મુલાકાત કરશે.
