પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સમાપન સત્રમાં સંબોધન કરશે
Live TV
-
2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએનું પ્રદર્શન શાનદાર રહેશે-અમિત શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સમાપન સત્રમાં સંબોધન કરશે. દિલ્હીના આંબોડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં ભાજપાને બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શનિવારે શરૂઆત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સંયુક્તરૂપે બેઠકનું ઉદઘાટન કર્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના નિધન પછી ભાજપા રાષ્ટ્રીય કાર્યકારિણીની આ પ્રથમ બેઠક છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહે પોતાના સંબોધનમાં એક તરફ જ્યાં અટલજીના કાર્યોને યાદ કર્યા હતા અને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએનું પ્રદર્શન શાનદાર રહેશે.
