પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગે બીજી વખત શપથગ્રહણ કરશે
Live TV
-
2014ની જેમ શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન પરિષદમાં યોજાશે. આ વખતે શપથ સમારોહમાં BIMSTEC દેશોના નેતાઓની સાથે સાથે અન્ય દેશોના પ્રમુખ, કેટલાંય દેશોના EMBASSADOR, બુદ્ધિજીવીઓ રાજનૈતિક કાર્યકર્તાઓ ફિલ્મજગતની હસ્તીઓ અને ઘણાં દિગ્ગજો પણ આ સમારોહમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગે બીજી વખત શપથગ્રહણ કરશે તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. 2014ની જેમ શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન પરિષદમાં યોજાશે. આ વખતે શપથ સમારોહમાં BIMSTEC દેશોના નેતાઓની સાથે સાથે અન્ય દેશોના પ્રમુખ, કેટલાંય દેશોના EMBASSADOR, બુદ્ધિજીવીઓ રાજનૈતિક કાર્યકર્તાઓ ફિલ્મજગતની હસ્તીઓ અને ઘણાં દિગ્ગજો પણ આ સમારોહમાં હાજરી આપશે. આ શપથગ્રહણ સમારોહમાં બંગાળમાં હિંસા દરમિયાન મૃત્યુ પામેલા BJPના 54 કાર્યકર્તાઓના પરિવારોને પણ ખાસ આમંત્રણ અપાયું છે. આ સમારોહમાં લગભગ 8000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે કેબીનેટના બીજા મંત્રીઓ પણ સોગંધ લેશે. પરંતુ આ ચહેરાઓ કોણ હશે તે તો શપથ ગ્રહણના સમારોહમાં જ ખુલાસો થશે.
