પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G-20 શિખરમાં ભાગ લેવા આર્જેન્ટીના જવા રવાના થશે
Live TV
-
વિદેશ સચિવ વિજ્ય ગોખલેએ પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વિદેશ સચિવે જણાવ્યું હતું ,કે જી-ટવેન્ટી શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં હાથ ધરાયેલા ડીજીટલ રીફોર્મ, કલાઈમેટ ચેન્જ અને આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સના મુદ્દે વાત કરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-ટવેન્ટી શિખરમાં ભાગ લેવા આર્જેન્ટીના જવા રવાના થશે. વિદેશ સચિવ વિજ્ય ગોખલેએ પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વિદેશ સચિવે જણાવ્યું હતું ,કે જી-ટવેન્ટી શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં હાથ ધરાયેલા ડીજીટલ રીફોર્મ, કલાઈમેટ ચેન્જ અને આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સના મુદ્દે વાત કરી શકે છે.શિખર બેઠકની સાથોસાથ પ્રધાનમંત્રી, ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ વર્ષમાં ચોથીવાર મળી શકે છે. પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્ર મહામંત્રી, યુરોપીય સંઘના વડા ,તેમજ આર્જેન્ટિનાના પ્રમુખ સાથે પણ મુલાકાત કરશે તેવી સંભાવના છે.
