પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકના માંડ્યા, હુબલી, ધારવાડ ખાતે 16 હજાર કરોડ રૂ. ના ખર્ચના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકના માંડ્યા, હુબલી, ધારવાડની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી મોદી આશરે 16 હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. માંડ્યામાં પ્રધાનમંત્રી બેંગ્લુરુ – મૈસૂર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 92 કિલોમીટર લાંબા ચાર લેનના મૈસુરુ -કુશલનગર રાજમાર્ગનોં શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી ધારવાડમાં ભારતીય ટેકનોલોજી સંસ્થાનનું લોકાર્પણ કરશે. તેઓ વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મ શ્રી સિદ્ધારુઢા સ્વામીજી હુબલી સ્ટેશનનું લોકાર્પણ કરશે.
