પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે
Live TV
-
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બાકી રહેલ તબક્કા માટે ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. બધા જ રાજકીય પક્ષોએ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. બધા જ વરિષ્ઠ નેતા પોતાના પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બાકી રહેલ તબક્કા માટે ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. બધા જ રાજકીય પક્ષોએ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. બધા જ વરિષ્ઠ નેતા પોતાના પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના મુઝ્ઝફર પુરમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરશે. તો પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણી રેલીને સંબોધિત કરશે તો ભાજપા અધ્યક્ષ અમિત શાહ રાજસ્થાનના દોષા, અલવર , અને ભરતપુર જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના ત્રિકમ-ગઢ લોકસભા ક્ષેત્રની, જતારા બેઠક પર સભા કરશે. ત્યારબાદ તેઓ બપોરે દુમુહ લોકસભા ક્ષેત્રની પથરીયા અને ખજુરાહો ના અમાત-ગંજમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. તેમજ બી.એસ.પી. સુપ્રિમો , માયાવતી લખનૌ અને લકીર-પુર -ખીરી માં જનસભાને સંબોધન કરશે.
