રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે
Live TV
-
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બાકી રહેલ તબક્કા માટે ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. બધા જ રાજકીય પક્ષોએ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. બધા જ વરિષ્ઠ નેતા પોતાના પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના ત્રિકમ-ગઢ લોકસભા ક્ષેત્રની જતારા બેઠક પર સભા કરશે. ત્યારબાદ તેઓ બપોરે દુમુહ લોકસભા ક્ષેત્રની પથરીયા અને ખજુરાહો ના અમાત-ગંજમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. તેમજ બી.એસ.પી. સુપ્રિમો , માયાવતી લખનૌ અને લકીર-પુર -ખીરી માં જનસભાને સંબોધન કરશે.
