પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 બેઠકમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા જશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 બેઠકમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા જશે. જી-20 સમિટ આગામી 28થી 30 જુન સુધી યોજાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠીવાર જી-20માં ભાગ લઈ રહ્યા છે. પીએમ દ્વિપક્ષી બેઠકો ઉપરાંત બહુપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 બેઠકમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકા જશે. જી-20 સમિટ આગામી 28થી 30 જુન સુધી યોજાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠીવાર જી-20માં ભાગ લઈ રહ્યા છે. પીએમ દ્વિપક્ષી બેઠકો ઉપરાંત બહુપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ ઓસાકા જી-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીની સાથે હાજરી આપશે. સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ઉર્જા સુરક્ષા અને નાણાકીય સ્થિરતા જેવા મુદ્દે વિશેષ ચર્ચા થશે. ડિજીટલ અર્થવ્યવસ્થામાં નવીનતા અંગે પણ ચર્ચા થશે.
