પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્નારા આજે PM કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત 8માં હપ્તાની ફાળવણી
Live TV
-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)યોજના અંતર્ગત નાણાકીય લાભનો 8 મો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે જારી કર્યો. આનાથી 9.5 કરોડથી વધુ લાભાર્થી કિસાન પરિવારોને રૂ. 19000 કરોડ ટ્રાન્સફર કરી શકાશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ સમયે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં.
PM-KISAN યોજના અંતર્ગત, યોગ્યતાપ્રાપ્ત લાભાર્થી ખેડૂત પરિવારોને પ્રતિવર્ષ રૂ. 6000/- 4 મહિને ત્રણ સમાન ઈન્સ્ટોલમેન્ટમાં પ્રતિ ઈન્સ્ટોલમેન્ટ રૂ. 2000/-ના હિસાબે ચૂકવવાપાત્ર હોય છે. આ ફંડ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ્સમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત, ખેડૂત પરિવારોને રૂ. 1.15 લાખ કરોડથી વધુ સન્માન રકમ અત્યાર સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
