પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોચ્યા વારાણસી, મતદારોનો માનશે આભાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં પહોંચ્યા.. લોકસભા ચૂંટણીમાં બીજીવાર જીત મેળવ્યા બાદ પ્રધાનમંત્રીની વારાણસીની પ્રથમ મુલાકાત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. હવાઈ મથકે રાજ્યપાલ રામનાયક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક રાજકીય આગેવાનોએ ,તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીની 2019ની લોકસભાની ચૂંટણીમાં ,જીત મેળવ્યા બાદ, પ્રધાનમંત્રીની વારાણસીની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી ,આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરે જઈ ,ભગવાન શિવની પૂજા - અર્ચના કરી રહ્યા છે. બાદમાં પ્રધાનમંત્રી ભાજપના કાર્યકર્તાઓને ,દિનદયાલ હસ્તકલા સંકુલમાં ,સંબોધન કરશે. પ્રધાનમંત્રીએ ,તમામ લોકોનો આભાર માનશે, જેમની મહેનત અને આશીર્વાદથી ,પ્રધાનમંત્રીએ ,વારાણસી લોકસભા ક્ષેત્રમાં ભવ્ય જીત મેળવી છે.
