ભાજપના નેતા સુરેન્દ્રસિંહના હત્યારોને થશે કડક સજા: સ્મૃતિ ઇરાની
Live TV
-
ઉત્તર પ્રદેશના અમેઠીમાં ભાજપા નેતા અને પ્રહલીયા ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહની હત્યા બાબતે કડક કાર્યવાહી થઈ રહી છે. સુરેન્દ્રસિંહની અજ્ઞાત બદમાશોએ ગોળીમારીને હત્યા કરી હતી.
ઉત્તર પ્રદેશના અમેઠીમાં ભાજપા નેતા અને પ્રહલીયા ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહની હત્યા બાબતે કડક કાર્યવાહી થઈ રહી છે. સુરેન્દ્રસિંહની અજ્ઞાત બદમાશોએ ગોળીમારીને હત્યા કરી હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ અમેઠીના નવ નિર્વાચીત સાંસદ સ્મૃતિ ઇરાનીએ મૃતકના પરિવાર જનો સાથે મુલાકાત કરી હતી. હજુ સુધી હત્યાનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ મહાનિદેશ ઓ.પી.સિંહે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં સાત સંદિગ્ધોની અટક કરવામાં આવી છે. અને તેઓની કડક પુછપરછ કરવામાં આવી રહી છે. તેમણે દોષીઓ સામે કડક કાર્યવાહીનો ભરોસો આપ્યો હતો.
