પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ગુજરાતની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ગુજરાતની મુલાકાતે આવવાના છે. સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નમામિ નર્મદે ઉત્સવમાં રહેશે ઉપસ્થિત .તૈયારીઓના અપાયા આદેશ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. સરદાર સરોવર નર્મદા બંધ ઐતિહાસિક 138 મીટરની સપાટી વટાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ આગામી 17મી સપ્ટેમ્બરે રાજ્યમાં જન ઉમંગ ઉત્સવ - નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજાશે, જેમાં પ્રધાનમંત્રી હાજરી આપશે. રાજ્યભરમાં નગરો, મહાનગરો, જિલ્લા, તાલુકા મથકો સહિતની 1 હજારથી વધુ જગાએ જનસમૂહો, સાધુસંતો, સેવા સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓની સહભાગિતાથી વિશેષ કાર્યક્રમો નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત યોજાશે.
