પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે કરશે 'મન કી બાત'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજુ કરશે. મનકી બાત નો આ 57 મો એપિસોડ રજુ થશે. આ એપિસોડમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. પ્રધાનમંત્રી એ પોતાની એક ટવીટ માં લોકોને પોતાના વિચારો શેર કરવા માટે અપીલ કરી હતી. તેમણે લોકોને માય GOV ઓપન ફોરમ અથવા તો નમો એપ પર પોતાના વિચારો મોકલવા માટે આમંત્રણ આપ્યુ હતુ. આ માટે ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર હિન્દી અને અંગ્રેજીમાં મેસેજ રેકોર્ડ થઈ શકશે. લોકો 1922 પર પણ મિસ્ડકોલ કરી શકશે અને એસએમએસ લીંક મેળવી ને પણ પોતાના મંતવ્યો અથવા સુચનો જણાવી શકશે.
