પ્રધાનમંત્રી : બંગાળના પુરુલિયામાં ચૂંટણીમાં પ્રચારમાં પ્રજાને સંબોધન
Live TV
-
ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભ્યાન શરૂ થઇ ગયું છે. જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંગાળના પુરુલિયામાં ચૂંટણીના પ્રચાર કરવા પહોંચ્યાં છે. એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસમના કરીમગંજમાં ચૂંટણી જનસભાને સંબોધીત કરશે.પ્રધાનમંત્રીની જનસભાઓને લઈ ભાજપના કાર્યકરોમાં આગવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, પૂરુલિયામાં પર્યટનની શક્યતાઓ વધારે છે. જ્યાં જ્યાં ભાજપાની સરકાર બની છે, ત્યાં વિકાસની સંભાવનાઓ પણ વધી છે. પશ્ચિમ બંગાળના દરેક ક્ષેત્રને રેલ નેટવર્ક સાથે જોડવો એ આપણી પ્રાથમિક્તા છે. પૂરુલિયા પણ ઇસ્ટ કોરિડોર સાથે જોડાશે, એનાથી રોજગારની તક વધશે. કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે જેથી અહીંના યુવાનોને રોજગાર મળે. કૌશલ વિકાસના માધ્યમથી અહીંના બેરોજગાર યુવાનોને રોજગાર સાથે જોડવામાં આવશે.