પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત-ગોવામાં ગજવી સભા, કહ્યું, કોંગ્રેસ દેશને તોડી રહી છે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં એક રેલીને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, બોફોર્સ તોપની દલાલી થી લઈ પાછલી યુપીએ સરકાર સુધી રક્ષા સોદામાં જે રીતે દલાલો હાવી હતા , તેનું પરિણામ એ આવ્યું કે યુપીએ કાર્યકાળ દરમિયાન કોઈપણ રક્ષા સોદો થઈ શક્યો નહી. રાફેલની વાત કરતા તેમણે કહ્યું કે, રાફેલ સોદો પણ તેમણે થવા દીધો નહીં.
આ અગાઉ લોકસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હતા. ત્યારે જૂનાગઢમાં જનસભાને સંબોધન કર્યા બાદ તેઓ સુરતથી સોગનઢ પહોંચ્યા હતા. સોનગઢ નજીક આવેલ ગુણસદા ખાતે તેમણે સભાને સંબોધન કર્યું હતું. જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો સરદાર સાહેબના વિચારોથી તદ્દન વિરૂદ્ધનોછે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબ એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત હતા.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના મેદાનમાં ચુંટણી સભાને સંબોધી હતી. ત્યાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કોંગ્રેસ પક્ષને દેશને લૂટનારો ગણાવ્યો હતો.
