પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશના PM શેખ હસીના સાથે કરી ટેલિફોનિક વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રમજાનના પવિત્ર મહિનાનાની વડા પ્રધાન મોદીએ ભારતના લોકો અને પોતાના વતી બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને બાંગ્લાદેશની જનતાને શુભકામના પાઠવી હતી.
બંને નેતાઓએ કોવિડ -19 રોગચાળાને લઈને ઉભી થતી પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને તેની અસર ઘટાડવા માટે એકબીજાને પોતપોતાના દેશોમાં લેવામાં આવતા પગલાઓથી માહિતગાર કર્યા. બંને નેતાઓએ સાર્કના સભ્ય દેશોના નેતાઓ વચ્ચે 15 માર્ચે સંમત થયેલ વિશેષ વ્યવસ્થાના અમલની દિશામાં થયેલ પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી હતી. વડા પ્રધાન મોદીએ સાર્ક કોવિડ -19 ઇમરજન્સી ફંડમાં 1.5 મિલિયન ફાળો આપવા બદલ વડા પ્રધાન શેખ હસીનાનો આભાર માન્યો.
