પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરના PM લી સિયન લૂંગ સાથે ફોન પર કોવિડ-19 મહામારી મુદ્દે કરી વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના વડા પ્રધાન લી સાયન લૂંગ સાથે કોરોનાવાયરસ મહામારી અંગે ચર્ચા કરી. વડા પ્રધાને આ વાતચીત અંગે ટ્વિટ કર્યું જેમાં વડા પ્રધાને કહ્યું કે, કોવિડ -19 મહામારી અંગે વડા પ્રધાન લી સાયન લૂંગ સાથે વિચારોની આપલે કરી.
સિંગાપોરમાં ભારતીય નાગરિકોને સહયોગ આપવા અને સંભાળ રાખવા માટે આભાર માન્યો. કોવિડ પછી ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારી વિશ્વમાં સ્થિરતા અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
