પ્રધાનમંત્રી સોમવારે ઓરિસ્સાની લેશે મુલાકાત
Live TV
-
વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા સોમવાર ઓરિસ્સાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીએ વાવાઝોડા ફોનીના કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલો સાથે વાતચાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. એક ટ્વીટ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી ઓરિસ્સાને મદદનું આશ્વાસન આપ્યું છે. સમગ્ર દેશ વાવાઝોડા પ્રભાવિત વિવિધ પ્રદેશોના પીડિત લોકોની મદદ માટે તેમની સાથે છે.
