પ્રધાનમંત્રી હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિમંડળને મળ્યા
Live TV
-
કાશ્મીરી પંડિતોએ ભારત સરકારના પગલાને આપ્યુ સમર્થન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા..આ અંગે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે..તેઓએ ભારતની પ્રગતિ અને દરેક ભારતીય સશક્તિકરણ માટે લેવામાં આવતા પગલાંને સ્પષ્ટપણે સમર્થન આપ્યું હતું.મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ નમસ્તે શારદે દેવી શ્લોકનું પઠન કર્યુ હતુ..પ્રતિનિધિમંડળના તમામ સભ્યએ પ્રધાનમંત્રીને 7 લાખ કાશ્મીરી પંડિતો વતી ધન્યવાદ આપ્યા હતા
કાશ્મીરી પંડિતોના સમુદાયનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુરિંદર કૌલે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રીએ અમને કહ્યુ કે તમે નવુ કાશ્મીર બનાવવા માટે ખૂબ જ સહન કર્યુ છે..આપણા યુવાઓએ એ સંદેશ પણ આપ્યા કે જે તેમના સમુદાયે તેમના માટે તૈયાર કર્યા છે..સમુદાય વતી એક જ્ઞાપન પ્રધાનમંત્રીને અમે સોપ્યુ જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો
