પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પંજાબમાં કિશાન કલ્યાણ રેલીને સંબોઘન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન કલ્યાણ રેલીને સંબોધન કરવા માટે આજે પંજાબ જશે. તેઓ આજે મુક્તાસર જિલ્લાના માલોતમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે, પંજાબના ખેડૂતોનું દેશના કૃષિ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન રહેલું છે. તેમજ SMD અધ્યક્ષ સુખબીરસિંહ બાદલે જણાવ્યું હતું કે, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કિસાન રેલીમાં ભાગ લેશે અને સ્વામીનાથન કમિશન રિપોર્ટના અમલના નિર્ણાયક પગલા માટે, પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાક માટે લઘુત્તમ ટેકાના ભાવોમાં કરાયેલા વધારા પછી પ્રધાનમંત્રી આ પ્રથમ કિસાન સંમેલનને સંબોધન કરશે.
