પ્રવાસી શ્રમિકોને લઇને કેબિનેટ સચિવે રાજ્યોને પત્ર લખ્યો
Live TV
-
કેબિનેટ સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખ્યો પત્ર - પ્રવાસી મજૂરોની સુરક્ષા, રહેવાની અને ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કર્યો નિર્દેશ-તમામ જિલ્લામાં મજૂરોની મદદ માટે નોડલ અધિકારી નિયુક્ત કરવા પર પણ મુક્યો ભાર
કોરોના વાઈરસના પગલે દેશમાં નિર્માણ પામેલી પરિસ્થિતિને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવાયું છે કે, રાજ્યોમાં કામ કરનારા પ્રવાસી શ્રમીકો અને લોકડાઉનના કારણે ફસાયેલા વ્યક્તિઓની સુરક્ષા, રહેઠાણ અને ભોજનની પુરતી વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત જિલ્લામાં શ્રમિકોની મદદ માટે જિલ્લામાં નોડલ અધિકારીની નિમણૂક કરવા પર પણ તેમણે ભાર મુક્યો છે. આ નોડલ અધિકારી અન્ય રાજ્યોમાં કામ કરનારા શ્રમિકો માટે કરાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.
