ફલાઇટ રદ થશે તો ટીકીટ ભાડું રિફંડ મળશે
Live TV
-
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ ગઈકાલે ડ્રાફટ પેસેન્જર ચાર્ટર અમલની જાહેરાત કરી હતી.
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ ગઈકાલે ડ્રાફટ પેસેન્જર ચાર્ટર અમલની જાહેરાત કરી હતી. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ફલાઈટ રદ થાય અને તે માટે એરલાઈન દોષિત હોય તો વિમાની પ્રવાસીને ટીકીટ ભાડુ રીફંડ મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ફલાઈટમાં વિલંબ થાય તો પણ પ્રવાસીઓ વિવિધ રીતે વળતર મળે તે માટેની ડ્રાફટમાં જોગવાઈ છે. ફલાઈટને ચાર કલાકથી વધુ વિલંબ થાય તો પણ પ્રવાસીને સંપૂર્ણ ભાડુ રીફંડ તરીકે મેળવવાનો અધિકારી રહેશે. ઉડાન ભર્યા પછી પ્રવાસી વિમાનમાં વાઈ-ફાઈનો પણ ઉપયોગ કરી શકશે. જે એરલાઈન્સ વાઈ ફાઈ સુવિધા માટે અરજી કરશે. તેમને મંજૂરી મળી જશે. ટિકીટ બુકીંગમાં આધાર કાર્ડનો ઉપયોગ થશે. પરંતુ અનિવાર્ય નહીં રહે.
