બજેટમાં ટેકનોલોજીનાં ઉપયોગથી ઈઝ ઓફ લિવિંગ પર અપાશે વિશેષ ધ્યાન: PM
Live TV
-
વેબિનારમાં આ વિષય સાથે સંબંધિત બજેટની જાહેરાતો પર પણ ચર્ચા કરવામાં આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ક્ષમતાનો સદુપયોગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીવનને સરળ બનાવવા પર એક વેબિનારને સંબોધન કર્યું હતું. વેબિનારમાં આ વિષય સાથે સંબંધિત બજેટની જાહેરાતો પર પણ ચર્ચા કરવામાં આવી. ટેકનોલોજી અને સુચના મંત્રાલય અનુસાર રાજ્ય સરકારોના નિષ્ણાંતો, ઉદ્યોગ સ્ટાર્ટઅપ અને શૈક્ષિણક સંસ્થાઓએ આ વેબિનારમાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત 12 પોસ્ટ-બજેટ વેબિનારોમાંથી આ પાંચમો વેબિનાર છે. વેબિનારમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, બજેટમાં ટેકનોલોજીનાં ઉપયોગથી ઈઝ ઓફ લિવિંગ પર વિશેષ ધ્યાન અપાશે. સરકારની નીતિ અને નિર્ણયની દેશનાં વિવિધ ક્ષેત્રમાં સકારાત્મક અસર થઈ રહી છે.
