બિલ ગેટ્સે જળવાયુ પરિવર્તન સામે લડવા લેટેસ્ટ વૈજ્ઞાનિક ઉપાય કરવા માટે આહ્વાન કર્યું
Live TV
-
ભારતને નેતૃત્ત્વ કરવા માટે અપીલ કરી.
માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે લેટેસ્ટ વૈજ્ઞાનિક ઉપાય કરવા માટે આહ્વાન કર્યું છે, જે માટે ભારતને નેતૃત્ત્વ કરવા માટે અપીલ કરી છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વની આધુનિક અર્થવ્યવસ્થા ઊર્જાના સૌથી વધુ ઉપયોગ પર આધાર રાખે છે. કુલ ઊર્જા જરૂરિયાતમાં 80 ટકા ઊર્જા જીવાશ્મ ઈંધણ પર આધારિત છે. તેમણે જણાવ્યું કે, વિશ્વાસપાજ્ઞ અને વૈકલ્પિક સ્ત્રોતને અપનાવવા માટેની જરૂરિયાત છે. બિલ ગેટ્સે જણાવ્યું કે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે સમગ્ર વિશ્વમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વને વિશ્વાસ છે કે, ભારત તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે સમગ્ર વિશ્વમાં નવાચારની જરૂરિયાત છે અને ભારત પાસેથી સૌથી વધુ આશા છે. ધરતીનું તાપમાન વધારનાર સૌથી વધુ કાર્બવ ઉત્સરર્જક વિકસિત દેશે છે. જળવાયુ પરિવર્તનનો સામનો કરવો વાટે વ્યાપક રીતે મહત્ત્વપૂર્ણ પગલા લેવાની જરૂરિયાત છે.
