બિહાર - ચમકી તાવને ફેલાતો અટકાવવા વિશેષ ટીમની રચના
Live TV
-
અત્યાર સુધીમાં કુલ 100થી વધુ બાળકોના નીપજ્યા છે મોત
કેન્દ્ર સરકારે મગજના તાવની બીમારીના પ્રકોપને ફેલાતા અટકાવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયના અંતર્ગત બહુ આયામી વિશેષજ્ઞ ટીમ બનાવવાનો નીર્ણય કર્યો છે. આ ટીમ બીમારીના કારણો અને બીમારીના ફેલાતી અટકાવવાના ઉપાયો બતાવશે. આ ટીમમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર એઇમ્સ, ભારતીય આર્યુવેદ વિજ્ઞાન, પરિષદ વિજ્ઞાન, મહિલા બાળ વિકાસ મંત્રાલય , અને ટેકનોલોજી મંત્રાલયના તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત બિહાર રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. મગજના તાવથી અત્યાર સુધીમાં 100 બાળકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે લૂ લાગવાથી 35 લોકોના મોત થયા છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા કાર્ય કરી રહી છે બિહારમાં મગજના તાવથી મૃત્યુ પામનારા બાળકોના પરિજનોને રાજ્ય સરકારે ચાર-ચાર લાખ ની સહાય આપવાની જાહેરાત કરી છે.