ભ્રષ્ટાચારને નાથવા મોટું પગલુ, કર વિભાગના 15 અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્તિ
Live TV
-
કમિશ્નરથી માંડીને ડેપ્યુટી કમિશ્નર જેવા અધિકારીઓનો સમાવેશ
ભ્રષ્ટાચાર નાથવા સરકાર કટિબદ્ધ છે ત્યારે સરકારે મોટું પગલું ભરતા ભ્રષ્ટાચારી અધિકારીઓને સેવા નિવૃત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કર અને કસ્ટમ બોર્ડ સીબીઆઇસીના 15 અધિકારીઓને અનિવાર્ય સેવાનિવૃતિ આપવામાં આવશે. આ એવા અધિકારીઓ છે જેમની પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. સીબીઆઇસીના 15 અધિકારીઓને સેવા નિવૃત કરવાનો નિર્ણય FR 56 હેઠળ લેવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં કમિશ્નરથી માંડીને ડેપ્યુટી કમિશ્નર જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે