બે આતંકવાદી થયા ઠાર
Live TV
-
કાઝિયાબાદના જંગલોમાં આતંકવાદીઓએ હુમલા કરતા, સેનાએ આપ્યો જવાબ.
જમ્મુ-કાશ્મીરમાં આજે વહેલી સવારે સેનાની એક પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો કાઝિયાબાદના જંગલોમાં થયો છે. આતંકવાદી હુમલા બાદ સેનાએ વળતો જવાબ આપ્યો છે. જેમાં 2 આતંકવાદીઓના મોત થયા છે. કેટલાક આતંકવાદી ભાગી ગયાના સમાચાર છે. સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. બધા જ સ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રમઝાન દરમિયાન સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. આમ છતાં ઘુસણખોરી થઇ રહી છે.
