બ્રિટન : પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને સંક્રમણની પુષ્ટિ થયાના 10 દિવસ બાદ કોવિડ-19 ની તપાસ માટે હોસ્પિટલમાં દાખલ
Live TV
-
દુનિયામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે..ત્યારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસેનને પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મલતા બ્રિટનનો આરોગ્ય વિભાગ ખાસ તકેદારી લઈ રહ્યુ છે..બ્રિટિશ પ્રધાનમંત્રી કાર્યાલયે જાણકારી આપતા જણાવ્યું કે, રવિવારની રાત્રે બોરિસ જોનસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રિટિશ પીએમ કાર્યાલય પ્રમાણે જોનસનમાં કોરોના વાયરસના લક્ષણ હજુ પણ જોવા મળી રહ્યાં છે.કાર્યાલયનું કહેવું છે કે પીએમ જોનસનને ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલય પ્રમાણે ડોક્ટરોની સલાહ બાદ પીએમ બોરિસ જોનસનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલયે તેને સાવચેતીના ભાગ રૂપે ભરેલું પગલું જણાવ્યું છે. સાથે
કહ્યું કે, ઇમરજન્સી જેવી સ્થિતિ નથી.