PM નરેન્દ્ર મોદીની અપીલ પર કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવા દેશવાસીઓએ એકજૂટ થઇ 9 મિનિટ સુધી દીવા અને મીણબત્તીઓ પ્રગટાવી
Live TV
-
પ્રધાનમંત્રીની અપીલ બાદ રવિવારે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી સમગ્ર દેશમાં લોકોએ દીવા, મીણબત્તી સળગાવી હતી અને ફ્લેશ લાઈટ કરી હતી
કોરોના વાયરસના અંધકાર વિરુદ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર દેશવાસીઓએ રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી લાઇટો બંધ કરી દીધી અને દીવા, મીણબત્તી, ટોર્ચ અને ફોનની ફ્લેશલાઇટો ચાલુ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને યાદ દેવડાવવા માટે ટ્વિટ પણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ રવિવારે પોતાના ટ્વીટર પેજ પર દીપ પ્રગટાવતા ફોટો પણ પોસ્ટ કર્યા હતા..પ્રધાનમંત્રીએ કેપ્શમાં લખ્યુ
शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અને પ્રધાનો અને રાજકીય નેતાઓએ મોદીની અપીલ પર કોરોના વોરિયર્સને સપોર્ટ કર્યો હતો.