બ્રિટિશ સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણને આપી મંજૂરી
Live TV
-
નવ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડીને મની લોન્ડરીંગના આરોપી તેમજ કિંગ ફીશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાના પ્રત્યાર્પણના બ્રિટિશ ગૃહમંત્રીએ સ્વીકૃતિ આપી હતી. ગૃહમંત્રી સાજીદ જાવેદે 3 ફેબ્રુઆરીએ વિવિધ બાતો ઉપર વિચારણા કર્યા બાદ વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરવા ના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. માલ્યા પાસે પોતાના પ્રત્યાર્પણ સામે અપીલ કરવા 14 દિવસનો સમય છે. 10 ડિસેમ્બર 2018ના રોજ લંડનની વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટ કોર્ટે 63 વર્ષીય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. દરમિયાન માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું છે કે તે પ્રત્યાર્પણ સામે અપીલ કરશે.
