ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મુરલી મનોહર જોશીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્મદિનની શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.મુરલી મનોહર જોશીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, ડૉ. જોશીએ રાજકારણમા, સંસદમાં અને મંત્રી તરીકેના તેમના લાંબા વર્ષો દરમિયાન દેશમાં અમર યોગદાન આપ્યું છે. વધુમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, જ્યારે રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની અને રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવાની વાત આવે ત્યારે ડૉ. જોશી યાદ કરવામાં આવે છે. મારી જેમ, કેટલાક કાર્યાકર્તાઓ તેમની પાસેથી ઘણું શીખ્યા. પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અત્યંત મૂલ્યવાન છે. હું ડો.જોશીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.
