Maharashtra : ભાજપે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં શરૂ કર્યુ જનસંપર્ક અભિયાન
Live TV
-
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં સરકારે લોકો સાથે સીધો સંપર્ક કરવા અભિયાન શરૂ કર્યું છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રના નાગપુરમાં કરી હતી. નીતિન ગડકરીએ બપોર પછી નાગપુરના મોહનનગરમાં એક જનસંપર્ક અભિયાન શરૂ કર્યું જેમાં તેમણે લોકોને અપીલ કરી કે નાગરિક સુધારણા બિલ અંગે ઉભા કરવામાં આવેલી અફવાના પ્રભાવ હેઠળ ન આવે. તેમણે કાયદાના તકનીકી પાસાઓ વિશે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને તેમના પ્રશ્નોના જવાબો આપ્યા. આ જ ક્રમમાં નીતિન ગડકરી લઘુમતી સમુદાયના લોકોને પણ મળ્યા અને તેમની સાથે ભોજન પણ લીધું.
નીતિન ગડકરી સાથે પાર્ટીના નેતા સરોજ પાંડે અને સાથે અનેક સ્થાનિક નેતાઓ પણ હતા. મીડિયા સાથે વાત કરતાં ગડકરીએ કહ્યું કે આ કાયદાથી ડરવાની જરૂર નથી અને આ કાયદો દેશના હિતમાં છે. આ જનસંપર્ક કાર્યક્રમ હજી પણ ચાલુ છે.
