ભાજપા નેતા બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
Live TV
-
ભાજપા નેતા બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લઈને ફરી એક વખત રાજ્યની કમાન સંભાળી છે. વર્ષ 2018માં ભાજપના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી જીતનાર બી એસ યેદિયુરપ્પાએ ચોથી વખત કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને શપથ લેવડાવ્યા હતા. નોંધનીય છે કે 23 જુલાઈએ કુમારસ્વામી બહુમતી પુરવાર કરી શક્યા ન હતા. વિશ્વાસ મત પ્રસ્તાવ પડવાથી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનવાળી સરકાર માત્ર 14 મહિનામાં જ પડી ગઈ હતી. ત્યારે યેદિયુરપ્પાએ 105 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર રાજ્યપાલને સોંપીને વિધાનસભામાં બહુમતી પુરવાર કરી હતી અને ફરી એક વખત કર્ણાટકની કમાન સંભાળી છે.
