ભાજપા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપન,અજેય ભારત' અને 'અટલ ભાજપા'નો નારો
Live TV
-
ભાજપા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'અજેય ભારત' અને 'અટલ ભાજપા'નો નારો આપ્યો હતો. તેમજ સમાપન સંબોધનમાં જણાવ્યું હતું કે ,2019ની ચૂંટણી ભાજપ માટે કોઈ પડકાર નથી. કારણ કે સરકારે સત્તા દ્વારા જનતા વચ્ચે રહીને વિકાસકાર્યો કર્યા છે. અને વિપક્ષના જૂઠાણાનો જવાબ બીજેપીએ પોતાના કાર્યો દ્વારા આપ્યો છે. બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અંગે જણાવતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધન દરમિયાન અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ જણાવ્યું હતું કે ભાજપ ,વિકાસકાર્યો થકી જનતાની સાથે છે જ્યારે વિપક્ષ સત્તામાં હતો ત્યારે અને હાલના વિપક્ષ તરીકે પણ સંદતર નિષ્ફળ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મજબૂત લોકતંત્ર માટે મજબૂત વિપક્ષ પણ જરૂરી છે.
