ભાજપે સર્જિકલ સ્ટ્રાઇક પર કોંગ્રેસને ઘેરી
Live TV
-
સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો પર ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, વરિષ્ઠ પાર્ટી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું- સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવીને કોંગ્રેસ આપી રહી છે પાકિસ્તાન અને આતંકીઓને પ્રોત્સાહન.
29, સપ્ટેમ્બર 2016ના દિવસે ભારતીય સેનાની સાથે-સાથે દેશના દરેક નાગરિક માટે ખૂબ ગર્વનો દિવસ છે. જ્યારે સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અંદર ઘુસીને પાકિસ્તાની સેના અને આઈએસઆઈ દ્વારા ચલાવાતા આતંકી ટ્રેનિંગ કેમ્પને ધ્વસ્ત કરી દીધા હતી. સેનાની આ સફળતાનો જ્યારે દેશમાં જશ્ન હતો ત્યાકે કોંગ્રેસના કેટલાક નેતાઓએ સર્જિકલ સ્ટ્રાઇકને ફર્જિકલ સ્ટ્રાઇક ગણાવીને પૂરાવાઓ માંગ્યા હતા. દેશે આને વિપક્ષની નીચલીકક્ષાની રાજનીતિ ગણાવી હતી. વરિષ્ઠ પાર્ટી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવીને કોંગ્રેસે પાકિસ્તાન અને આતંકીઓને પ્રોત્સાહન આપ્યું છે.
29 સપ્ટેમ્બર 216 તેજ તારીખ છે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી લોન્ચ પેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને દુનિયાને દંગ કરી દીધી હતી. 21 મહિના પહેલા ભારતીય સેના દ્વારા કરાયેલી આ સર્જિકલ સ્ટ્રાઇક બાદ તેની સાથે જોડાયેલી તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છએ. આ તસ્વીરોમાં સેનાના જવાનોની વિરતાની તસ્વીરો દેખાઈ રહી છે.
