ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સમિતીની રચના કરી
Live TV
-
જેમાં સંકલ્પ પત્ર સમિતિ પ્રચાર સમિતિ વગેરે સામેલ છે. ભાજપની સંકલ્પ પત્ર સમિતિની બેઠક ગૃહમંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને યોજાઈ હતી. જેમાં કૃષિમંત્રી રાધામોહન સિંહ અને રક્ષામંત્રી નિર્મલા સીતા રમણ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ દરેક રાજકિય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગઇકાલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સમિતીની રચના કરી હતી. જેમાં સંકલ્પ પત્ર સમિતિ પ્રચાર સમિતિ વગેરે સામેલ છે. ભાજપની સંકલ્પ પત્ર સમિતિની બેઠક ગૃહમંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને યોજાઈ હતી. જેમાં કૃષિમંત્રી રાધામોહન સિંહ અને રક્ષામંત્રી નિર્મલા સીતા રમણ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સંકલ્પ પત્ર સમિતિનો ઉદેશ સામાન્ય લોકોના મત જાણવાનો છે. આ સમિતિના સભ્ચો સામાન્ય લોકોના અભિપ્રાય લેશે જેને ભાજપ સંકલ્પ પત્રમાં સ્થાન આપશે.
