ભારતને મળી કૂટનીતિક સફળતા, મસુદ અઝહર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર
Live TV
-
આતંકવાદ વિરૂદ્ધ લડાઇ લડતા ભારતને આજે મોટી કુટનીતિક જીત મળી છે. એક લાંબી ચર્ચા બાદ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. અત્યાર સુધી ચીન આ મુદ્દે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરતું રહ્યું હતું.
પરંતુ હવે આતંરરાષ્ટ્રીય દબાણના કારણે ચીન પોતાના વીટોને હટાવવા તૈયાર થઇ ગયું હતું. કુટનીતિક રીતે ભારત માટે આ જીત ઐતિહાસિક પણ છે. કારણ કે, આવું પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે કોઇ આતંકીને જમ્મુ-કાશ્મીરમાં કોઇ હુમલા માટે જવાબદાર ગણીને ગ્લોબલ ટેરરીસ્ટ જાહેર કરાયો છે.
