ભારતમાં કોરોનાનો રિક્વરી રેટ 76.5 ટકા, અને મૃત્યુ દર 1.8 ટકા પર
Live TV
-
ભારત સરકારના પ્રયાસથી કોવિડ-19ની સ્થીતિમાં સુધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં સાજા થવાનો દર 76.28 ટકા થયો છે. જ્યારે મૃત્યુ દરમાં સતત ધટાડો થઇને 1.82 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 60 હજાર 177 લોકો સાજા થયા છે. જેની કુલ સંખ્યા 25 લાખ 83 હજાર 948 થઇ છે તો 77 હજાર, 266 નવા કેસ નોંધાયા છે.
ભારત સરકારના પ્રયાસથી કોવિડ-19ની સ્થીતિમાં સુધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં સાજા થવાનો દર 76.28 ટકા થયો છે. જ્યારે મૃત્યુ દરમાં સતત ધટાડો થઇને 1.82 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 60 હજાર 177 લોકો સાજા થયા છે. જેની કુલ સંખ્યા 25 લાખ 83 હજાર 948 થઇ છે તો 77 હજાર, 266 નવા કેસ નોંધાયા છે. કોવિડ મહામારી સામેના જંગમાં ટેસ્ટીંગની ભારતની સ્થીતિ માં સતત સુધારો થયો છે. ICMR ના જણાવ્યા અનુસાર 26 ઓગષ્ટ સુધીના ટેસ્ટ સેમ્પલની કુલ સંખ્યા 3 કરોડ 94 લાખ 77 હજાર 848 છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 9 લાખ 1 હજાર 338 ટેસ્ટ કરાયા હતા. તો 1057 દર્દીઓના મરણ થયા છે. સમગ્ર દુનિયામાં સંક્રમણના કેસ દરરોજ વધી ગયા છે. વિશ્વના તાજા આંકડા અનુસાર દુનિયામાં 2.46 કરોડથી વધુ લોકો સંક્રમિત છે. તેમજ મૃત્યુ આંક 8 લાખ 34 હજારથી વધુ થયો છે. આ ઉપરાંત 1 કરોડ 17લાખ 74 હજાર થી વધુ લોકો સાજા થયા છે. આ મહામારીમાં અમેરીકા અને બ્રાઝીલ ની હાલત ખુબજ ખરાબ છે.
