ભારતમાં કોરોના વાયરસના 31 પોઝિટિવ કેસ નોંધાયા
Live TV
-
ભારતમાં કોરોના વાયરસના 31 કેસ નોંધાયા....નવો એક કેસ ગાજિયાબાદમાં જોવા મળ્યો છે....આ વ્યક્તિ ઈરાનથી પરત ફરી હતી....દિલ્હી સરકારે તમામ પ્રાથમિક શાળા 31 માર્ચ સુધી બંધ કરી દીધી છે....ઈટાલીમાં ફેલાયેલા ચેપના પગલે કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે ઈટાલી અને દ. કોરિયાથી આવનારા લોકોએ કોરોનામુક્ત સર્ટિફિકેટ લાવવું ફરજિયાત છે.... જો આ સર્ટિફિકેટ હશે તો જ તેમને ભારતમાં પ્રવેશ મળશે.મધ્યપ્રદેશમાં યોજાનારો આઈફા એવોર્ડ પણ સ્થગિત કરાયો છે....ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં 35 શંકાસ્પદ કેસ મળ્યા હતા. જેમાંથી 30 નેગેટિવ છે. જ્યારે બાકીના 5 ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.....છેલ્લા 24 કલાકમાં 14 શંકાસ્પદ કેસ મળ્યા હતા. તેમાં 8-અમદાવાદ, 2-સુરત, 2-ભરૂચ, 1-પાલનપુર અને 1-મોડાસામાં નોંધાયા હતા.
