ભારતીય મુસ્લિમો ભારતના છે, નથી ચિંતા કરવાની જરૂરઃ ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
નાગરિક્તા સંશોધન બિલ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ, દેશના મુસ્લિમોએ ચિંતા કરવાની નથી જરૂરિયાત-ભારતીય મુસ્લિમો ભારતના છે અને ભારતના જ રહેશે-બિલ નાગરિક્તા ખતમ કરનારનું નહીં પણ નાગરિક્તા આપનારું બિલ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ,રાજ્યસભામાં નાગરીકતા સંશોધન ખરડો રજૂ કર્યો. જેના પર આશરે 6 કલાક સુધી ચર્ચા ચાલી હતી. અને ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંસદને જવાબ આપ્યા હતા. વિપક્ષ સતત આ બિલનો વિરોધ કરી રહ્યુ હતુ.
સંસદમાં નાગરીકતા બીલને સિલેક્ટ કમિટિને મોકવાનો અને આગામી સેસન્સમાં લાવવાની માંગનો વિપક્ષનો પ્રસ્તાવ ખારીજ થયો હતો. પ્રસ્તાવની તરફેણમાં 125 અને વિરોધમાં 105 મત પડ્યા હતા. આ ખરડો રાજ્યસભામાં પસાર થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ સાંસદોનો આભાર માન્યો હતો.
આ બિલ પ્રથમ લોકસભામાં અને ગઇકાલે ચર્ચાના અંતે રાજ્યસભામાંથી પસાર થતાં ,લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
