ભારતીય વૈજ્ઞાનિક સંમેલનનું PMએ કર્યું ઉદ્ઘાટન, કહ્યું, 'દેશ-પૃથ્વી ગ્રહને થશે લાભ'
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સંમેલનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં દુનિયાભરના 55 દેશોના ભારતીય મૂળના 3હજારથી વધુ એજ્યુકેશનાલીસ્ટ 10 હજારથી વધુ રેસીડેન્ટ એજ્યુકેશનાલીસ્ટ અને વૈજ્ઞાનિકો ભાગ લેશે.
આ સંમેલન ભારતીય વિચાર કર્તા અને વૈજ્ઞાનિકોનું વૈશ્વિક વર્ચુઅલ સંમેલન છે. આ સંમેલનમાં 200થી વધુ સત્રોમાં 40 દેશના 1500થી વધુ પેનલીસ્ટ ભારતના વિકાસ , તેમજ શિક્ષણ સંસ્થાઓ સહિત 18 ક્ષેત્રોમા ચર્ચા કરશે. 31 ઓકટોબરે સરદાર જયંતીના દિવસે આ સંમેલનનું સમાપન થશે.
સંમેલનને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, કે વિજ્ઞાન ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓને એક સાથે એક મંચ પર લાવવાનો આ અવસર છે. આ સંમેલનથી ભારત અને પૃથ્વી ગ્રહને લાભ થશે. વૈજ્ઞાનિકોએ સંશોધન પ્રણાલિ માટે સારાં સૂચનો આપ્યાં છે. આ સંમેલન વિચારોની સમૃદ્ધ અને ઉત્પાદક આપ-લે બની રહેશે.