ભારતે તુર્કીનો આકરો વિરોધ કર્યો
Live TV
-
જમ્મુ-કાશ્મીર પર આપેલા નિવેદન પર આકરો વિરોધ નોંધાવ્યો
ભારતે તુર્કીના રાષ્ટ્રપતિના જમ્મુ-કાશ્મીર પર આપવામાં આવેલા નિવેદનને લઈને તુર્કીની સરકારની સામે આકરો વિરોધ નોંધાવ્યો...ભારતે કહ્યું, કાશ્મીર પર એર્દોઆનનું નિવેદન દર્શાવે છે કે તેમને ના તો ઈતિહાસની કોઈ સમજ છે, ના કૂટનીતિક આચરણની..
ભારતે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઈરદુગાનના જમ્મુ-કાશ્મીરમાં હાલની સ્થિતિ પર ચિંતા દર્શાવતા નિવેદન પર તુર્કીને આકરા શબ્દોમાં નિંદા કરી..વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં મોકલેલા નિવેદનમાં કહ્યું કે એર્દોઆનના નિવેદનમાં ના તો ઈતિહાસની સમજ છે અને ના તો કૂટનીતિક આચરણ દેખાઈ રહ્યું છે..જેની તુર્કી સાથે ભારતના સંબંધોમાં ઉંડી અસર પડશે..
વિદેશ મંત્રાલયના પ્રવક્તા કહ્યું કે, "હાલના ઘટનાક્રમે અન્ય દેશોના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાની તુર્કીની પ્રવૃતિનું એક વધુ ઉદાહરણ રજૂ કર્યું છે..ભારતે તેને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય કરે છે."
