ભારતે પાકિસ્તાનના નિર્ણયને લઇને નારાજગી વ્યક્ત કરી
Live TV
-
પાકિસ્તાન દ્વારા VVIP વિમાનો માટે વાયુક્ષેત્રના ઉપયોગ ન કરવા દેવા બદલ ભારતે નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે પાકિસ્તાને બે સપ્તાહોની અંદર બીજી વખત આવું પગલું ભર્યું છે, જે બદલ ભારત નારાજગી વ્યક્ત કરે છે. તેમણે કહ્યું હતું કે વાયુક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી અન્ય દેશો દ્વારા આપી દેવામાં આવે છે. જેથી પાકિસ્તાને પોતાના એક તરફી નિર્ણયો લેવાની જૂની આદત વિશે વિચાર કરવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જોઈએ.
